પાલીતાણા વિશે જાણો

પાલીતાણા


પાલીતાણા
—  ગામ  —
પાલીતાણાનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ 21°31′40″N 71°49′15″ECoordinates: 21°31′40″N 71°49′15″E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર

વસ્તી ૫૧,૯૩૪ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)

વિસ્તાર
• ઉંચાઇ

• ૬૬ મીટર (૨૧૭ ફુ)



પાલીતાણા ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર શહેરની નૈઋત્યમાં ૫૦કિ.મી. દૂર આવેલું છે. જૈનોનું આ અગત્યનું તીર્થસ્થાન છે. આ એક રજવાડું હતું. પાલિતાણા જૈનોનું શાશ્વત તિર્થ છે. જ્યાં આદિનાથ ભગવાન બિરાજમાન છે. જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાંથી પસાર થતી શેત્રુન્જી નદીના કિનારે આવેલું હોવાથી શત્રુન્જય તિર્થ પણ કહેવાય છે.

શહેર

ગોહિલ રાજ્પુતોના રજવાડાનું પાટનગર પાલીતાણા હતું. આ શહેર પરદેશીઓ માટે દેરાસર સંકુલના બેજોડ સ્થાપત્ય માટે આકર્ષણ જમાવે છે.પાલીતાણા શહેરમાં પણ ઘણાં દેરાસરો અને હવે તો આધુનિક સુવિધાઓ વાળી ઘણી ધર્મશાળાઓ અને ભોજનશળાઓ છે.
જૈનો માટે પાલીતાણાના દેરાસરો સૌથી પવિત્ર તીર્થ મનાય છે.શત્રુંજય પર્વત ઉપર સુંદર કારીગરીથી સુશોભિત ૧૬૧૬ આરસના દેરાસરો છે. ડુંગરની ટોચ ઉપર રહેલું મુખ્ય દેરાસર પ્રથમ તીથઁકર આદિનાથ (ઋષભદેવ)નું છે. ભગવાનને માટે જ બનવેલા આ દેરાસરસંકુલ નગરમાં જે પર્વતની ટોચ ઉપર છે તેમાં કોઇપણ વ્યક્તિએ રાત રહેવાની છુટ નથી, પૂજારીને પણ નહીં. મોટેભાગના જૈનો સમેતશિખર, માઉંટ આબુ કે ગિરનાર કરતાં પણ પાલીતાણાને ખૂબ જ ધાર્મિક અને મહત્વનું તીર્થ માને છે. એવી માન્યતા છે કે દરેક જૈન વ્યક્તિએ એના જીવનકાળ દરમ્યાન એકવાર તો પાલીતાણાની યાત્રા કરવી જ જોઇએ.
પાલીતાણામાં સમવસરણ મંદિર ૧૦૮ પ્રભુ પ્રતિમાઓનું સુંદર સ્થાપત્ય છે. જંબુદ્વિપ નામના સંસ્થાનમાં આજના વિજ્ઞાનનાં સિધ્ધાંતોને પડકારતી જૈન ગ્રંથોમાં લખેલી પૃથ્વીના આકાર માટેની માહિતી અપાય છે. બે સુંદર સંગ્રહસ્થાનો આવેલાં છે. "શ્રી વિશાલ જૈન કલા સંસ્થાન" અને "સ્થાપત્ય કલા ગૃહ". જેમાં વસ્ત્રચિત્રો, કાગળની પ્રતો, કેળના પાનપર લેખો, પુસ્તકો, પુસ્તક મુખપૃષ્ટો, હાથીદાંતની કોતરણીઓ, હાથીદાંત ઉપરના ચિત્રો, કાષ્ટકોતરણીઓ વગરેનો સમાવેશ થાય છે.
ગુલાબ અહીં બહુ ઉગતા હોવાથી અહીંનું ગુલકંદ બહુ વખણાય છે. કોમી એખલાસની સાક્ષી પૂરે તેમ ડુંગર ઉપર દેરાસરની પાસે જ મુસ્લિમના અંગાર પીરનું પવિત્ર સ્થાનક છે.

પાલીતાણા ની યાત્રાના માધ્યમો

વિમાન દ્વારા

પલીતાણાથી સૌથી નજીક્નું વિમાનમથક ૫૦ કિ.મી. દૂર આવેલું ભાવનગર છે. જે માત્ર મુંબઈથી જ જોડાયેલું છે. મુંબઈ સિવાય આવતા લોકો માટે અમદાવાદનું એરપોર્ટ જે આંતરરાષ્ટ્રીય પણ છે અને વડોદરા એરપોર્ટ છે. આ બંન્ને એરપોર્ટ, દેશનાં મોટાં શહેરો જેવાંકે દિલ્હી, ચેન્નઈ સાથે જોડાયેલાં છે. સાથે રાજકોટ પણ નજીક નુ એરપોર્ટ છે.

ટ્રેન

પાલીતાણામાં નાનું રેલ્વે સ્ટેશન છે જે ભાવનગર સાથે જોડાયેલું છે અને ભાવનગર અમદાવાદ સાથે.

બસ રોડ

ભાવનગર, અમદાવાદ, તળાજા, ઉના, દીવ, મુંબઈ રાજકોટ વગરે શહેરોથી નિયમિત બસો આવતી હોય છે. અમદાવાદ થી એસ.ટી. અને ખાનગી બસ નિયમિત આવે છે. ૫ કલાક્ની મજલ છે. અમદાવાદથી ૨૧૫ કિ. મી. પાલીતાણા છે. ટેક્સી પણ મળી શકે છે.

ઇતિહાસ

પાલીતાણા અતિ પ્રાચીન નગર છે. જૈન આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના નામ પરથી વસેલું પાદલિપ્તપુર આજે પાલીતાણાના નામથી જગવિખ્યાત છે. પાલીતાણાનો ઉલ્લેખ ગોવિંદરાજ પ્રભુતવર્ષના ઈ.સ. ૮૧૮-૧૯ ના દેવલીમાંથી મળેલા દાન શાસનમાં ‘પાલિતાનક‘ તરીકે થયેલો જોવા મળે છે. જૈન પ્રબંધોમાં તેનો સવિશેષ ઉલ્લેખ છે. પ્રભાવત ચરિતમાં જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિના શિષ્ય સિદ્ધ નાગાર્જુને વિમલા (શેત્રુંજય પર્વત)ની તળેટીમાં ગુરુના નામથી પાદલિપ્તપુરની સ્થાપના કરી ત્યાં મહાવીર સ્વામીનું ચૈત્ય કર્યું હોવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત પ્રબંધ ચિંતામણી, પુરાતન પ્રબંધસંગૂહ, પ્રબંધકોષ વગેરે જૈન પ્રબંધોમાં પાદલિપ્તપુરનો ઉલ્લેખ આવે છે. જૈનોના આ પૂસિદ્ધ યાત્રાધામમાં ભારતના ખૂણેખૂણાથી ધાર્મિક જૈન સ્ત્રી-પુરુષો, બાળકો દર્શનાર્થે આવે છે.
પ્રથમ જૈન તીર્થકર ભગવાન ઋષભ દેવ અથવા આદિનાથ કે આદિશ્વરનાં પુનિત સંસ્મરણો આ તીર્થ સાથે સંકળાયેલા છે. તેમણે આ ભુમીને તીર્થભૂમી બનાવી ત્યારથી આ તીર્થસ્થાન પ્રત્યેક જૈન માટે આવશ્યક દર્શન કરવા જેવું પવિત્ર યાત્રાધામ બની ગયું છે. [૧]

ભુતપૂર્વ રજવાડું

પાલીતાણા એક બીજા વર્ગનું રજવાડું હતું જેની સ્થાપના ઇ.સ. ૧૧૯૪માં થઈ હતી. સૌરાષ્ટ્રમાં ઘણાં નાનાં નાનાં રજવાડાં હતાં તેમાંનાં થોડા મુખ્યમાંનું પાલીતણા એક હતું. એનું ક્ષેત્રફળ ૭૭૭ કિ.મી.હતું . ઇ.સ. ૧૯૨૧ માં એની વસ્તી ૫૮,૦૦૦ હતી. એમાં ૯૧ ગામ આવરી લીધાં હતાં. તેની આવક રૂ. ૭,૪૪,૪૧૬ હતી. તેના સાશક, ૯ બંદૂક્ની સલામીના અધીકારી હિંદુ ગોહિલ કુળના રાજવી હતાં જેમને ઠાકોર સાહેબનાં નામે ઓળખવામાં આવતાં હતા. ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮નાં રોજ જ્યારે પાલીતાણા રજવાડાને સ્વતંત્ર ભારતમાં વિલિન કરવામાં આવ્યું ત્યારે તે સમયનાં રાજવીને રૂ. ૧,૮૦,૦૦૦ નું સાલીયાણુ આપવામાં આવ્યું હતું


પાલીતાણા તાલુકો

પાલીતાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન
  1. અદપર
  2. અનિડા
  3. અનિડા
  4. આયાવેજ
  5. આંકલોલી
  6. કુંભણ
  7. કંજરડા
  8. ખાખરીયા
  9. ખીજડીયા
  10. ખીજડીયા
  11. ગણઠોલ
  12. ઘેટી
  13. ચિરોડા
  14. ચોક
  15. ચોકિયાપાટી
  16. ચોંદા
  1. જમણવાવ
  2. જામવાળી
  3. જાળિયા
  4. જાળિયા
  5. જાળિયા
  6. જાળિયા
  7. જીવાપુર
  8. જુના પાદર
  9. જુના સરોડ
  10. ડુંગરપુર
  11. થડાચ
  12. થોરાળી
  13. દુધાળા
  14. દેદરડા
  15. દેપ્લા
  16. નવાગામ
  1. નવા સરોડા
  2. નાના ગરજીયા
  3. નાનિમલ
  4. નાની પાણીયાળી
  5. નાની રાજસ્થળી
  6. નેસડી
  7. નોંધણવદર
  8. પાલીતાણા
  9. પાંચપીપળા
  10. પાંદેરીયા
  11. પીથલપુર
  12. પીપરડી
  13. બહાદુરગઢ
  14. બહાદુરપુર
  15. બાદેલી
  16. બોદાણા નેસ
  1. ભાડવાવ
  2. ભારટીંબા
  3. ભુતિયા
  4. ભુદરખા
  5. ભંડારીયા
  6. માણવડ
  7. માલપરા
  8. માળીયા
  9. માંડવડા
  10. મેંઢા
  11. મૈધાર
  12. મોખડકા
  13. મોટા ગરજીયા
  14. મોટી પાણીયાળી
  15. મોટી રાજસ્થળી
  16. મોતિસારી
  1. મોરચુપાણા
  2. રતનપુર
  3. રાજપરા
  4. રાજપરા
  5. રાણપરડા
  6. રાણપરદા
  7. રોહીશાળા
  8. રંડોળા
  9. લાખાવડ
  10. લાપળીયા
  11. લીલવાવ
  12. લુવારવાવ
  13. લોઇણચડા
  14. વડાલ
  15. વાડીયા
  16. વાળુકડ
  1. વિજાણા નેસ
  2. વિરપુર
  3. વિરપુર
  4. શેવડીવદર
  5. સતાણા નેસ
  6. સનાળા
  7. સમઢીયાળા
  8. સાગપરા
  9. સેંજળીયા
  10. સોનપરી
  11. સંજાણસર
  12. હાથસણી
  13. હાનોલ



  
બીજું જોવાલાયક સ્થળ શેત્રુંજય ડુંગરની તળેટીમાં બંધાયેલ સંવસરણ મંદિર છે. આ ભવ્ય દેરાસર વર્તુળાકાર છે અને દેરાસરોના ઝુમખામાં છેલ્લામાં છેલ્લો ઉમેરો છે. તે લગભગ ૧૦૮ ફૂટ ઉંચું છે અને તે એક કરોડ રૂપિયાથી વધુ ખર્ચે બંધાવ્યું છે. તે જૈન ધર્મ, કલા અને સંસ્કૃતિના સંગ્રહાલય તરીકે કામ પણ આપે છે. સમગ્ર મંદિર સંકુલ પ્રખ્યાત આરસપહાણની ત્રણ માળમાં બંધાયેલું છે અને તેમાં મહાવીર સ્વામીની ચતુર્મુખી પ્રતિમા ઉપરાંત જૈનોનાં ૧૦૮ પવિત્ર સ્થળોની વિગતો આપી છે.

વધુમાં ત્યાં ત્રેવીસમા તીર્થંકર પાર્શ્વનાથની ૧૦૮ પ્રતિમાઓ છે. બીજા જૈન તીર્થંકરોની ૨૮ મૂર્તિઓ સાથે તે એક ખંડમાં મૂકવામાં આવી છે. પોતાની શ્રદ્ધા અને ભક્તિ અભિવ્યક્ત કરવા બારેમાસ યાત્રાળુઓનો ધસારો રહે છે. અહીંયા ટેકરીની ટોચ ઉપર અંગારપીરના નામે ઓળખાતી મુસલમાનની પવિત્ર જગ્યા છે જેને દિવાલ નથી. ગુજરાત પ્રવાસન નિગમ લી. એ આ સ્થળને પ્રવાસીઓ માટેના વિકાસ કેન્દ્ર તરીકે વિચાર્યું છે.